રેશનકાર્ડના નવા નિયમો: હવે આ લાભાર્થીઓને નહીં મળશે ફ્રી રાશન

દેશના તમામ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સુચના સામે આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ફ્રી રેશન આપવામાં આવે છે, પરંતુ હવે તેના માટે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તમામ રેશન કાર્ડ ધારકોને આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. ચાલો, આ લેખમાં આપણે જાણીએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ફ્રી રેશનના નવા નિયમો શું છે. Ration card rules Gujarat

રેશનકાર્ડના નવા નિયમો શું કહે છે?

  • તમારું રેશન કાર્ડ માન્ય હોવું જરૂરી છે
  • જરૂરી તમામ દસ્તાવેજો તમારાં નામે પ્રમાણભૂત રીતે હોવા જોઈએ.
  • જો દસ્તાવેજોમાં ખામી હોય, અથવા રેશન કાર્ડમાં યોગ્ય રીતે તમારી માહિતી નોંધાઈ નહીં હોય, તો તમારું કાર્ડ અમાન્ય અથવા રદ પણ થઈ શકે છે.

રેશનકાર્ડના નવા નિયમો અપડેટ Ration card rules Gujarat

  • હવે તમારું આધાર કાર્ડ તમારા રેશન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.
  • જો તમે હજુ સુધી લિંકિંગ કર્યું નથી, તો તરત જ તમારા નજીકના જન સેવા કેન્દ્ર અથવા રેશન દુકાન પર જઈને લિંક કરાવો.
  • આવા પગલાં ફર્જી કાર્ડ અને ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવ્યા છે.
  • તમારા રેશન કાર્ડમાં પરિવારના તમામ સભ્યોના નામ હોવા જોઈએ. જો પરિવારના કોઇ સભ્યનું અવસાન થયું હોય, તો તેનું નામ હટાવીને નવા સભ્યનું નામ ઉમેરવું પડશે.

કેટલાક રાજ્યોએ આ પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે. જો તમે પણ રેશન કાર્ડ ધારક છો, તો તમારે પણ આ પ્રક્રિયામાં સહભાગી બનીને KYC અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે.

રેશન કાર્ડ e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ

  • સરકાર તરફથી છેલ્લી તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે.
  • ઘણા રાજ્યોમાં એપ્રિલ થી જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
  • જો તમે સમયસર તમારા રેશન કાર્ડનું KYC અપડેટ નહીં કરો, તો તમને રેશન મળવાનું બંધ કરી દેવાશે.

Leave a Comment