namo saraswati vigyan sadhana yojana 2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૧મા અને ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના બંને યોજનાઓનો લાભ મળશે. રાજ્યની સરકારી અને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના પરિવારની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના બંને યોજનાઓનો લાભ આપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું છે?
આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે, જેમણે ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો છે. સરકાર આવા વિદ્યાર્થીઓને બે વર્ષ માટે ₹25,000 ની સહાય આપે છે અને એ પણ સીધી વાલીની બેંકમાં!
પણ મુદ્દો ફક્ત પૈસાનો નથી… વાત છે સપનાને સાચું કરવા માટે મળતી એક મજબૂત પાંખની.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કોણ લઇ શકે છે લાભ? (પાત્રતા)
- ચાલો સાદી ભાષામાં સમજીએ કે કોને આ યોજનાનો લાભ મળી શકે છે:
- ધોરણ 10માં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ
- ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવો પડશે
- પરિવારની વર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કેટલી સહાય મળશે અને ક્યારે?
ધોરણ | સહાયની રકમ |
---|---|
ધોરણ 11 | ₹10,000 |
ધોરણ 12 | ₹15,000 |
કુલ | ₹25,000 |
પણ ખાસ નોંધો—છેલ્લાં ₹5,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પછી જ મળશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ડોક્યુમેન્ટ
