Loading ...

સંત સુરદાસ યોજના: દિવ્યાંગ લોકો માટે નાણાકીય સહાયની સંપૂર્ણ માહિતી

શું તમે અથવા તમારા કોઈ પરિચિતને 80% કે તેથી વધુ દિવ્યાંગતા છે? શું નાનકડી આર્થિક મદદ તમારા રોજિંદા જીવનમાં મોટો ફરક લાવી શકે? જો હા, તો ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના તમારા માટે જ છે! આ યોજના હેઠળ, દિવ્યાંગ લાભાર્થીઓને પ્રતિમાસ ₹600ની નિયમિત આર્થિક સહાય મળે છે. Sant surdas yojana 2025 gujarat

Sant surdas yojana 2025 gujarat ચાલો, આ યોજના વિશે વધુ વિગતવાર જાણીએ – કોણ લાભ લઈ શકે છે, કેવી રીતે અરજી કરવી, અને કયા દસ્તાવેજો જોઈએ. દિવ્યાંગ યોજના 2025

સંત સુરદાસ યોજના શું છે?

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ખાસ કરીને બાળકો અને યુવાનોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી તેઓ સ્વાવલંબી બની શકે.

સંત સુરદાસ યોજના કોણ લાભ લઈ શકે છે? Sant Surdas Yojana Eligibility Criteria

  • દિવ્યાંગતાની ટકાવારી: 80% કે તેથી વધુ.
  • ઉંમર: 0 થી 17 વર્ષ (બાળકો) અથવા ગરીબી રેખા હેઠળ જીવતા પ્રજા.
  • આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર: BPL યાદીમાં 0-20 સ્કોર ધરાવતા લોકો.
    શહેરી વિસ્તાર: ગરીબી રેખા હેઠળના લોકો.

સંત સુરદાસ યોજના જરૂરી દસ્તાવેજો

દિવ્યાંગ ઓળખ પત્ર (Disability Certificate)

  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વગેરે)
  • જન્મતારીખનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડવાનું પ્રમાણપત્ર)
  • BPL કાર્ડ (જો લાગુ પડતું હોય)
  • બેંક પાસબુકની નકલ
  • આધાર કાર્ડ

કેવી રીતે અરજી કરવી? (ઓનલાઇન પ્રક્રિયા) Sant surdas yojana 2025 gujarat online registration

  • ગુજરાત સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ: https://esamajkalyan.gujarat.gov.in
  • “New User? Register Here” પર ક્લિક કરી નોંધણી કરો.
  • લોગિન કરી “Sant Surdas Yojana” ઓપ્શન પસંદ કરો.
  • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ કરો અને અરજી નંબર સેવ કરો.

Leave a Comment