દેશના લાખો ખેડૂતો માટે રાહ જોવાતી PM Kisanનો 20મો હપ્તો અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. કિસાન ભાઈઓને જણાવી દઉં કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને સહાયરૂપ થવા માટે નાણાંકીય મદદ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની સહાય આપવામાં આવે છે. હવે, આ યોજનાનો 20મો હપ્તો મળવાનો સમય આવી ગયો છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?
ખેડૂતોના ખેતી ખર્ચમાં રાહત આપવા માટે સરકારે ખાસ કરીને ખેડૂતો માટે આ યોજના શરૂ કરી છે. દરેક લાભાર્થી ખેડૂતને આ સહાય મેળવવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. માત્ર યોગ્ય દસ્તાવેજ ધરાવતા ખેડૂતોને જ સહાય મળશે.
પીએમ કિસાન 20મો હપ્તો ક્યારે આવશે?
મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હજી સુધી સરકાર તરફથી સચોટ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, સમાચાર મળ્યાં છે કે જુનના બીજા કે ત્રીજા સપ્તાહમાં આ 20મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ વખતે ખેડૂતો માટે સહાયની રકમ ₹2000 થી વધારીને ₹4000 કરવામાં આવી શકે છે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
ખેડૂતો માટે ખાસ સૂચના:
જો તમારે હજી સુધી તમારો હપ્તો મળ્યો નથી, તો બિલકુલ ચિંતાવિહોણા રહો. સૌથી પહેલા તમે તમારી KYC પ્રક્રિયા સંપૂર્ણ કરેલ છે કે કેમ તે તપાસો. જો કોઈ દસ્તાવેજમાં ખામી હોય, તો રકમ અટકી શકે છે. શક્ય હોય તો તાત્કાલિક PM Kisan Helpline Number 155261 અથવા 011-24300606 પર ફોન કરીને મદદ મેળવી શકો છો. 20મો હપ્તો જાહેર થતા જ તમે ઑનલાઇન પણ ચેક કરી શકો છો.